Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં જળ સંકટનું જોખમ, મુંબઈને પાણી આપતા જળાશયોમાં લગભગ 45 દિવસનું પાણી બચ્યુ

  • June 17, 2023 

દેશની આર્થિક રાજધાની મુંબઈને સાત જળાશયોમાંથી પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે, પરંતુ હવે આ શહેર પર જળ સંકટનું જોખમ મંડરાઈ રહ્યુ છે. આ જળાશયોમાં લગભગ 45 દિવસનું જ પાણી બચ્યુ છે. આ કારણે મુંબઈ મહાનગરપાલિકાનું પણ ટેન્શન વધી ગયુ છે. મહારાષ્ટ્રનાં જુદા-જુદા ભાગોમાં લોકો પાણીની અછતનો સામનો કરી રહ્યા છે. હવે મુંબઈ પર પણ જળ સંકટનું જોખમ મંડરાઈ રહ્યુ છે. મુંબઈમાં નાસિક, થાણે, ભિવંડી જેવા વિસ્તારોનાં સાત જળાશયોથી પાઈપ લાઈન-ટનલ દ્વારા પાણી સપ્લાય થાય છે.


બી.એમ.સી.નાં તાજેતરનાં રિપોર્ટ અનુસાર જળાશયો વરસાદનાં પાણી પર નિર્ભર છે. મુંબઈને પાણી આપતા જળાશયોમાં 15.2 ટકા સ્ટોક જ વધ્યો છે જે લગભગ 2.4 લાખ મિલિયન લિટર બરાબર છે. જેમાંથી એક ટકા પાણી મુંબઈમાં 3 દિવસોનાં ઉપયોગ લાયક હોય છે. ગયા વર્ષે 15 જૂન 2022એ આ આંકડો 12.24 ટકા હતો, જ્યારે આ તારીખે 2021માં સ્ટોક 12.75 ટકા હતો.



મુંબઈમાં વર્ષ દરમિયાન 14,47,36.3 મિલિયન લિટર પાણીની જરૂર હોય છે. ગયા વર્ષે વરસાર સારો પડ્યો હતો અને મુંબઈને પાણી આપતા ડેમ છલોછલ ભરાઈ ગયા હતા. ઓક્ટોબરનાં અંતમાં ડેમમાં 97 ટકા પાણી હતુ. પરંતુ આ વર્ષે ચોમાસાનાં મોડા આગમને ચિંતા વધારી દીધી છે. ગયા વર્ષે તારીખ 11 જૂને ચોમાસાએ મુંબઈમાં દસ્તક દીધી હતી. આ વર્ષે ભીષણ ગરમીથી કેટલાક જળાશયોમાં ઝડપથી પાણી સૂકાવા લાગ્યુ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application