Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જરીના કારીગરને જુના ઝઘડાની પતાવટના બહાને ઘરે બોલાવી ફટકાથી મારમાર્યો

  • December 18, 2020 

રાંદેર ઉગત રોડ વિસ્તારમાં રહેતા જરીના કારીગરને જુના ઝગડાની અદાવત રાખી પતાવટના બહાને વાડી ફળિયા આરા મહોલ્લોમાં બોલાવ્યા બાદ વાંસના ફટકાથી ઢોર મારમારી હાથ ફેક્ચર કરી નાંખ્યો હતો.

 

 

અઠવા પોલીસના જણાવ્યા મુજબ રાંદેર ઉગત રોડ પાંણીની ટાંકી ઍસઍમસી આવાસમાં રહેતા સુનીલ પુલ્લઈ (ઉ.વ.૩૬) જરીકામ સાથે સંકળાયેલો છે. સુનીલનો અગાઉ અનીલકુમાર મણીલાલ રાણા (ઉ.વ.૩૭. રહે, વાડી ફળિયા આરા મહો્લ્લો અષ્ટવિનાયક ઍપાર્ટમેન્ટ) સાથે ઝઘડો થયો હતો. જે ઝઘડાની અદાવત રાખી અનીલ રાણાઍ સુનીલને પતાવટ કરવાને બહાને તેના ઘરે બોલાવ્યો હતો. સુનીલ તેના ઘરે પહોચવાની સાથે જ અગાઉથી નક્કી કરેલા પ્લાન મુજબ અનીલે તેના બે સાગરીતો સાથે સુનીલને વાંસના ફટકાથી હાથ પગ, મોઢા સહિત શરીરના ભાગે ઢોર મારમારી હાથમાં ફેક્ચર કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

 

 

પોલીસે સુનીલની ફરિયાદ લઈ અનીલ સહિત ત્રણ સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application