Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આદિમ જૂથ સાથે થઈ રહેલા અન્યાયને લઈ કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી યોજાઈ, કુટુંબ દીઠ 5 એકર જમીન ની માંગ કરવામાં આવી

  • September 17, 2022 

સુરત જિલ્લાનો માંડવી તાલુકો મહત્તમ આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે અને જંગલ વિસ્તાર છે,આ જંગલો માં કેટલાક સમય પહેલા આદિવાસીઓ વસવાટ કરતા હતા અને વાંસ કાપી તેમજ ખેતી કરી જીવન નિર્વાહ ચલાવતા હતા પરંતુ છેલ્લા કેટલાક વર્ષો થી સરકાર દ્વારા જંગલ માં રહેતા આદિવાસીઓ ને જંગલ માંથી દૂર કરવામાં આવ્યા છે અને સરકાર દ્વારા આપવામાં આવતા હકો થી આદિમ જૂથના લોકોને વંચિત રાખવામાં આવી રહ્યું છે જેને લઈ આજરોજ માંડવી ખાતે આદિમ જૂથ ના લોકો દ્વારા કોંગ્રેસ ના ધારાસભ્ય આનંદ ચૌધરી ની આગેવાની હેઠળ એક રેલી કાઢવામાં આવી હતી.




જંગલમાં વસવાટ કરતા આદિમ જૂથ ના લોકો વરસાદ ના ચાર મહિના જંગલ માં જતા હોઈ છે અને ત્યાં જંગલ ની જમીન પર ખેતી કરી ગુજરાન ચલાવતા હોઈ છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષો થી આદિમ જૂથ ના લોકોને જંગલ માં જતા અટકાવવામાં આવી રહ્યા છે તેમજ ફોરેસ્ટ વિભાગ ના અધિકારીઓ દ્વારા માર મારવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપ પણ આદિમ જૂથ દ્વારા કરવામાં આવ્યા હતા,આદિમ જૂથ દ્વારા સરકાર પાસે જીવન ગુજરાન ચલાવવા માટે કુટુંબ દીઠ 5 એકર જમીન ની માંગ કરવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application