Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજપીપળા નગરપાલિકાએ વેરા નહિ ભરનારાઓની દુકાનો સીલ કરી

  • March 08, 2025 

રાજપીપળા નગરપાલિકા દ્વારા કડક વેરા વસુલાત કરવામાં આવી રહી છે જેમાં કરોડો રૂપિયાના બાકી વેરા માટે વારંવાર ટકોર કરવા છતાં કેટલાક લોકો વેરો નહિ ભરતા પાલિકાએ દુકાનો સીલ મારવાની અને નળ કનેક્શન કાપવાની પ્રક્રિયા શરૂ કરી છે. જેમાં પણ કેટલીક દુકાનો સીલ કરવામાં આવી છે જ્યારે નળ કનેક્શન પણ કાપવાની કાર્યવાહી ચાલુ છે.


પાલિકાના મુખ્ય અધિકારી રાહુલ ઢોડીયાની સૂચના હેઠળ રાજપીપળા શહેરમાં પાલિકા કર્મચારીઓ દ્વારા દરરોજ વેરો ઉઘરાવવા ટીમો દોડે છે પરંતુ કેટલાક લોકો વેરો ભરવા બાબતે આળસ નહીં ખંખેરતા પાલિકા દ્વારા નળ કનેક્શન કાપી અથવા દુકાન, મકાન સીલ મારી વેરો વસૂલવા કાર્યવાહી થઈ રહી છે. જેમાં હાલમાં પાલિકાની ટીમે મુખ્ય અધિકારીની સૂચના હેઠળ રાજપીપળામાં આવેલા કેટલીક દુકાનો સીલ મારવાની કાર્યવાહી કરી છે. સાથે સાથે અમુક વિસ્તારમાં આવેલા મકાનોના નળ કનેક્શન પણ બાકી વેરા બાબતે કાપી નાખવામાં આવ્યા છે. આમ રાજપીપળા નગરપાલિકા સત્તાધીશો દ્વારા બાકી વેરા બાબતે કડક કાર્યવાહી કરાતા અન્ય બાકીદારોમાં ફ્ફડાટ ફેલાયો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application