Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજપીપળા : વિશ્વકર્મા મંદિરના ચોકમાં માઁ શક્તિ બાલિકા ગરબા મહોત્સવનું આયોજન, બાળકોને કુંડામાં તુલસીના છોડ અપાયા

  • October 14, 2021 

કોરોના મહામારી બાદ આ વર્ષે સરકાર દ્વારા નવરાત્રીમાં શેરી ગરબાની મંજૂરી આપી છે ત્યારે બાળકોથી લઈને યુવાનો, વૃધ્ધો ગરબે ઘૂમવા થનગની ઉઠ્યા હતા જેથી નર્મદા જિલ્લામાં પણ ઠેર-ઠેર શેરી ગરબાનું આયોજન કરાયું છે. આ વર્ષે નાના બાળકોમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો અને બાલિકા ગરબા મહોત્સવ ધૂમ મચાવી રહ્યા છે. રાજપીપળા મહાવિધાયલ રોડ ઉપર આવેલ વિશ્વકર્મા મંદિરના ચોકમાં માઁ શક્તિ બાલિકા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય આયોજકો સહીત તેમની ટીમની મહેનત થકી 200 વધુ બાળકો ગરબામાં જોડાયા હતા તેમજ સિનિયર અને જુનિયર એમ બે ગ્રુપમાં ગરબા રમાડવામાં આવી રહ્યા છે. આયોજકો દ્વારા રોજ નાસ્તો અને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવે છે. આ વર્ષે આયોજકોએ એક નવો વિચાર મુક્યો બાળકોમાં તુલસી માતાજીનું મહત્વ સમજાય અને તુલસીને કુંડામાં વાવી જેની માવજત કરે એટલે પર્યાવરણનું પણ શિક્ષણ કેળવાય એ માટે ગરબે ઘૂમતા 200થી વધુ બાળકોને કુંડામાં તુલસીનો છોડ આપવામાં આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application