Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાંકડા માર્ગ પર વાયરો જીવલેણ સાબિત થઈ શકે

  • February 26, 2021 

રાજપીપળા કોલેજના ગેટ સામે જ એક એસટી બસે વીજ કંપનીનો લટકતો વાયર તોડી નાંખતા કલાકો સુધી વીજ પુરવઠો બંધ રહ્યો હતો. જોકે સાંકડા માર્ગ પર લટકતા વાયરો જોખમી હોવા છતાં વચ્ચે પોલ ઉભા ન કરાતા ક્યારેક આ વાયરો જીવલેણ સાબિત થઈ શકે તેમ છે. એક વાયર એસટી બસથી તૂટી જતા સદનસીબે કોઈને નુકશાન થયું નથી.

 

 

પરંતુ કોલેજના ગેટની આસપાસ લબળતા વાયરો ક્યારેક દુર્ઘટના સર્જે તેવા છે માટે પોલ બચાવવા કે ગમે તે કારણે લટકતા જોવા મળતા વાયરો તાત્કાલિક ઊંચા કરાય એ જરૂરી છે અને  મેન્ટેનન્સ માટે કલાકો વીજ પુરવઠો બંધ કરવામાં આવે છે તથા અનેક જગ્યાઓ પર નવા પોલ ઉભા કરી લોકોના માથે મંડરાતું જોખમ વીજ કંપની દૂર કરે તેવી માંગ ઉઠી છે. (ભરત શાહ દ્વારા રાજપીપળા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application