Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રિઝર્વ બેન્કે રૂપિયા 2,000ની ચલણી નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી, જોકે આ વખતે પ્રજાને વર્ષ 2016 જેવી હાલાકીનો સામનો કરવો પડશે નહીં

  • May 20, 2023 

દેશમાં શુક્રવારનાં રોજ ફરી એક વખત નોટબંધીની જાહેરાત કરવામાં આવી છે. જોકે આ વખતે આ જાહેરા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નહીં પરંતુ ભારતીય રિઝર્વ બેન્કે કરી છે. રિઝર્વ બેન્કે શુક્રવારનાં રોજ રૂપિયા 2,000ની ચલણી નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી છે. જોકે આ વખતે પ્રજાને વર્ષ 2016  જેવી હાલાકીનો સામનો કરવો પડશે નહીં, કારણ કે લોકો સપ્ટેમ્બર 2023 સુધી રૂપિયા 2,000ની નોટો બેન્કમાં જઈને બદલી શકશે.






ભારતીય રિઝર્વ બેંકે એક સર્ક્યુલર બહાર પાડીને સ્પષ્ટ કહ્યું છે કે, તે 2,000 રૂપિયાની નોટો પરત ખેંચશે. જોકે RBI તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે, આ નિર્ણયથી સામાન્ય લોકોએ પરેશાન થવાની બિલકુલ જરૂર નથી. RBIએ ક્લીન નોટ પોલિસી હેઠળ આ નિર્ણય લીધો છે. તેમજ તારીખ 30 સપ્ટેમ્બર સુધીમાં આ નોટોને પરત કરી શકાય છે. જો તમારી પાસે 2,000 રૂપિયાની નોટ છે, તો ગભરાવો નહીં, જાણો હવે તમારે શું કરવાનું છે?






RBIએ એક ટાઈમ ફ્રેમ સેટ કર્યો છે, જે મુજબ તમે તમારી 2000 રૂપિયાની નોટો તારીખ 30 સપ્ટેમ્બર સુધીમાં જમા કરાવી શકો છો. આમ કરવાથી તમારા નાણાંની વેલ્યુ સમાપ્ત નહીં થાય અને આપને કોઈ નુકસાન પણ નહીં થાય, તેથી RBIનાં આ નિર્ણયથી તમારે ગભરાવાની જરૂર નથી. બીજી સૌથી મોટી વાત એ છે કે, RBIએ સ્પષ્ટ કહ્યું છે કે, આપે 2,000 રૂપિયાના નોટ અંગે નોટબંધી સમજવાની જરૂર નથી. તમે સ્પષ્ટ શબ્દોમાં એવું સમજો કે, તમે હજુ પણ માર્કેટમાં 2,000 રૂપિયાની નોટો ચલાવી શકો છો.






આ નોટથી તમે સામાન ખરીદી સકો છો. અન્ય કોઈ વ્યક્તિ સાથે 2,000 રૂપિયાની લેવડ-દેવડ કરી શકો છો. આ નોટ સંપૂર્ણ રીતે વેલીડ છે અને કોઈપણ વ્યક્તિ તારીખ 30 સપ્ટેમ્બર સુધી રૂપિયા 2,000ની કરન્સી લેવાનો ઈન્કાર ન કરી શકે. એટલે કે આ તારીખ પહેલા તમે નોટોને પોતાની બેંકમાં (જેમાં તમારું એકાઉન્ટ હોય, ત્યાં પરત આપી શકો છો) અથવા અન્ય બેંકમાં જમા કરાવી શકો છો. સૌથી મહત્વની વાત એ છે કે, તમે અત્યારથી જ બેંકમાં ન જશો... ત્યાં લાઈનમાં ન ઉભા રહો... કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપો... અફરા-તરફરી જેવી કોઈપણ સ્થિતિનો પ્રોત્સાહન ન આપો... RBIએ સ્પષ્ટ કહ્યું છે કે, 2,000 રૂપિયાની વેલ્યુ સમાપ્ત થઈ નથી.






તમારા ખિસ્સામાં રાખેલી 2,000ની નોટ હજુ પણ 2,000ની કિંમતની જ નોટ છે. આ નોટ હજુ પણ માન્ય છે. જો તમારે 2,000 રૂપિયાની નોટો જમા કરાવવી છે, તો RBIએ તેનો પણ પ્લાન બનાવ્યો છે. તમે એક વખતમાં 2,000ની 20 હજાર રૂપિયા સુધીની નોટો બેંકમાં જમા અથવા બદલાવી શકો છો. RBIનાં જણાવ્યા અનુસાર કોઈપણ બેંકમાં 23 મે-2023થી એક સમયે 2,000 રૂપિયાની નોટોને જમા કરાવી શકાશે અથવા અન્ય નોટો સાથે બદલાવી શકાશે. નોટ બદલવાની મર્યાદા 20 હજાર રૂપિયા છે. વર્ષ 2016માં રિઝર્વ બેંકના નોટબંધી બાદ રિઝર્વ બેંકે 2,000 રૂપિયાની નોટ બહાર પાડી હતી.




છેલ્લા ઘણાં મહિનાઓથી બજારમાં 2 હજાર રૂપિયાની નોટોની અછત જોવા મળતી હતી. તો બીજી તરફ ATMમાંથી પણ 2000ની નોટો બહાર આવતી ન હતી, જે અંગે સરકારે સંસદમાં પણ માહિતી આપી હતી. વર્ષ 2017-18 દરમિયાન દેશમાં 2,000ની નોટ સૌથી વધુ પ્રચલિત હતી. આ દરમિયાન બજારમાં 2,000ની 33,630 લાખ નોટો ચલણમાં હતી. તેમની કુલ કિંમત 6.72 લાખ કરોડ રૂપિયા હતી. 2021માં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં માહિતી આપી હતી કે, છેલ્લા બે વર્ષથી 2,000 રૂપિયાની એક પણ નોટ છાપવામાં આવી નથી. મહત્વનું છે કે, 2019 બાદ રૂપિયા 2,000ની એક પણ નોટ છપાઈ નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application