Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત ખાતે વડાપ્રધાનશ્રી રાત્રી રોકાણ કરશે : માર્ગ અને મકાન વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ

  • March 06, 2025 

દેશના લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તા.૭મી માર્ચના રોજ સુરત ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ગંગાસ્વરૂપા, વૃદ્ધ, દિવ્યાંગ સહાય યોજના તથા ગરીબ લાભાર્થી પરિવારોના અંદાજે બે લાખ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજના લાભોના વિતરણની શરૂઆત કરવામાં આવશે.


અનેરા આનંદ ઉલ્લાસ સાથે સુરતીઓ વડાપ્રધાનને આવકારવા માટે સજ્જ બન્યા છે. વડાપ્રધાનશ્રી સુરત સરકીટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરશે. જેથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જ્યાં તેઓ રોકાણ કરનાર છે એ રૂમ પર જરૂરી તમામ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. સરકીટ હાઉસની અંદર તથા બહારના ભાગે રંગરોગાન તથા રિનોવેશન કરવામાં આવી રહ્યું છે. ફૂલછોડના કુંડાઓથી પરિસરને વધુ આકર્ષક અને સુસજ્જ બનાવવામાં આવ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application