Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 22 ફેબ્રુઆરીએ મહેસાણા આવશે

  • February 06, 2024 

મહેસાણાના તરભમાં આવેલા વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થનારી છે. વાળીનાથ મંદિરે આગામી 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાનાર છે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે. વડાપ્રધાન મોદી ઉપરાંત ગૃહ પ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદીત્યનાથ તેમજ શંકારાચાર્યજી તથા દેશભરમાંથી સંતો મહંતો ઉપસ્થિત રહેશે. સાત દિવસ ચાલનારા આ મહોત્સવમાં પ્રતિદિન ત્રણેક લાખ ભક્તો ઉપસ્થિત રહેશે, જ્યારે 22 ફેબ્રુઆરીએ પાંચ લાખ ભક્તો ઉમટવા સંભાવનાઓ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application