Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પ્રમુખ નિરંજન વસાવા ભાજપા સાથે છેડો ફાડી આપમાં જોડાયા,જાણો કોની હાજરીમાં જોડાયા

  • August 24, 2022 

ભાજપના યુવા નેતા નિરંજન વસાવા અરવિંદ કેજરીવાલ,મનીષ સિસોદિયાજી,ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો.



છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં એક મજબૂત વિકલ્પ તરીકે પોતાની ઓળખ ઊભી કરી રહી છે. ગુજરાતના દરેક સમાજના,જાતિના, ધર્મના અને દરેક વ્યવસાય સાથે જોડાયેલા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. ત્યારેગુજરાત સરપંચ પરિષદના ઝોન પ્રમુખ નિરંજન વસાવા ભાજપ સાથે છેડો ફાડયા બાદ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. નિરંજન વસાવા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.



અરવિંદ કેજરીવાલજી અને મનીષ સિસોદિયાજીએ ટોપી તેમજ ખેસ પહેરાવીને નિરંજન વસાવાને આમ આદમી પાર્ટીમાં સામેલ કર્યા હતા. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી તથા આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા ઉપસ્થિત હતા. નિરંજન વસાવા દરેક પંચાયતોના સરપંચ સાથે સીધો જ ઘરોબો હોય, તેમજ રાજપીપળા સહીત નર્મદા જિલ્લામાં કોઇ પણ સમસ્યા હોય તેના નિરાકરણ અને હલ માટે હંમેશા તત્પરતા દાખવતા હોય છે. આમ આદમી પાર્ટીમાં સામેલ થતા નર્મદા જીલ્લામાં ભાજપાને ચોક્કસપણે વિધાનસભાની ચુંટણીમાં મોટાં પાયે નુકસાન થશે.




આપના ગેરન્ટી કાર્ડને લઈને ચર્ચા થઈ રહી છે ત્યારે આમ આદમી પાર્ટીએ મફત વીજળી, દરેક યુવાનોને રોજગાર, ઉચ્ચકક્ષાનું મફત શિક્ષણ,વિશ્વસ્તરીય મફત આરોગ્ય વ્યવસ્થા, વેપારીઓ માટે ભયમુક્ત વાતાવરણ અને આદિવાસી સમાજની પ્રગતિ માટે પ્રગતિશીલ પગલા જેવી ઘણી ગેરંટીઓ આપી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application