Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહારાષ્ટ્રની મુલાકાતે આવેલ રાષ્ટ્રપતી દ્રૌપદી મુર્મૂએ શનિ-શિંગણાપુર જઈ શનૈશ્વરની મૂર્તિનાં દર્શન કર્યા

  • December 01, 2023 

મહારાષ્ટ્રની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતી દ્રૌપદી મુર્મૂએ શનિ-શિંગણાપુર જઈ શનૈશ્વરની મૂર્તિના દર્શન કર્યા હતા અને ચબુતરા પર જઈને તેલાભિષેક કર્યો હતો. ત્યાર બાદ મહાપ્રસાદ લીધો હતો. અહમદનગર જિલ્લા પ્રશાસન વતી પાલક પ્રધાન રાધાકૃષ્ણ વિખે પાટીલે રાષ્ટ્રપતી અને મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શનિ શિંગણાપૂર તીર્થધામનું બહુ જ મહાત્મય છે અને દેશ-વિદેશથી શનિ મહારાજના ભક્તો દર્શને આવે છે. શિંગણાપુર ગામની ખાસિયત છે કે, ત્યાં કોઈ ઘરમાં દરવાજા નથી. એટલે સુધી કે બેન્કોમાં પણ દરવાજા નથી. આસ્થાળુઓ માને છે કે શનિ મહારાજ સહુનું રક્ષણ કરે છે અને કોઈ ચોરી કરે તો તેને શનિ મહારાજ સજા કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application