Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પલસાણાના કરાળા ગામે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો, ચોરી કરનાર આરોપીને ઝડપી પાડ્યો

  • February 04, 2025 

સુરતના પલસાણા તાલુકાના કરાળા ગામે સ્વસ્તિક રેસિડેન્સીમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે. ચોરી કરનાર ઇસમો કડોદરા અકળામુખી હનુમાન મંદીર તરફ આવનાર હોવાની બાતમી આધારે કડોદરા પોલીસે સ્થળ પર પહોંચી આરોપીને ઝડપી પાડયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, કડોદરા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી.


ત્યારે તેને ખાનગી રાહે બાતમી મળી હતી કે, કરાળા ગામે આવેલી સ્વસ્તીક રેસીડેન્સીના મકાનમાંથી કેનન કંપનીનો RE MARK-II કેમરો ચોરી કરનાર શખ્સ જોળવા ગામ તરફથી અકળામુખી હનુમાન મંદિરવાળા રસ્તાથી કડોદરા તરફ જનાર છે. આ ઉપરાંત તેની પાસેનો ચોરીનો કેમેરો પણ તે વેચવા જનાર છે. આથી પોલીસે કડોદરા હનુમાન મંદિર પાસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન જોળવા તરફથી બાતમીનાં વર્ણનવાળો ઈસમ ત્યાં આવી પહોંચતા પોલીસે તેને અટકાવીને પૂછતાછ કરી હતી. જે દરમિયાન તેણે તેનું નામ બ્રિજેશકુમાર રાજપતિ મિશ્રા (ઉ.વ.૨૫, ધંધો-મજુરી, હાલ રહે. સોનીપાર્ક-૨, તાતીથૈયા તા.પલસાણા, મુળ રહે.ફાજુલાહ ગામ થાના, રામપુર જી.જોનપુર) હોવાનું જણાવ્યું હતુ. પોલીસે તેની પાસેનો કેનન કંમ્પનીનો RE MARK II કેમરો (કિંમત રૂ.૧,૯૫,૦૦૦) કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application