Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મકાનમાંથી રૂપિયા ૧.૩૦ લાખની ચોરી થતા પોલીસ ફરિયાદ

  • July 14, 2021 

ગોપીપુરા સુભાષચોક ઓશવાલ મહોલ્લોમાં આવેલા મકાનને તસ્કરોઍ નિશાન બનાવ્યો હતો. રસોડા તરફના દરવાજાનું તાળુ તોડી અંદર ત્રાટકેલા તસ્કરો ૨૦૦  કિલોગ્રામના પીત્તળના બે ઘંટ અને ૫૯ જુની નાની બેટરી  મળી કુલ રૂપિયા ૧.૩૦ લાખના મતાની ચોરી કરી નાસી ગયા હતા.

 

 

 

 

અઠવા પોલીસના જણાવ્યા મુજબ, ગોપીપુરા સુભાષચોક ઓશવાલ મહોલ્લો શીતલવાડી ઉપાશ્રમની સામે આવેલા બંધ મકાનમાં ગત તા.૩જી ના રોજ રાત્રે બાર વાગ્યાથી બીજા દિવસે સાંજના પાંચ વાગ્યાના સમયગાળા દરમ્યાન તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોઍ રસોડા તરફના દરવાજાને મારેલ તાળુ કોઈ સાધનથી તોડી અંદર ઘુસ્યા હતા ત્યારબાદ ઘરમાંથી ૨૦૦ કિલોગ્રામના પીત્તળના બે ઘંટ જેની કિંમત રૂપિયા ૧,૧૦,૦૦૦ અને જુની નાની બેટરી નંગ-૫૯ જેની કિંમત રૂપિયા ૨૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૧,૩૦,૦૦૦ના મતાની ચોરી કરી નાસી ગયા હતા. બનાવ અંગે સીટીલાઈટ રોડ ઈંદ્રપ્રસ્થ કોમ્પ્લેક્ષમાં રહેતા કેતનભાઈ વીરેન્દ્રભાઈ શાહ (ઉ.વ.૪૩)ઍ ફરિયાદ નોîધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application