Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જૂની અદાવત રાખી યુવકને મારનાર 10 લોકો સામે પોલીસ ફરિયાદ

  • May 26, 2022 

ઝઘડિયાનાં કાંટોલ ગામે એક લગ્ન પ્રસંગમાં ગયેલ યુવકને 10 જેટલા લોકોએ માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઝઘડીયા તાલુકાનાં ભીલવાડા ગામે રહેતો વિકાસભાઇ ગીરીશભાઇ વસાવા નામનો યુવક ગત તા.22 મે નારોજ કાંટોલ ગામે એક લગ્ન પ્રસંગ હતો ત્યાં ગયો હતો. ત્યાં બેન્ડ વાગતુ હતુ તેમજ બધા લોકો નાચતા હતા અને તે જોવા માટે વિકાસ અને તેની સાથે ગયેલ ઇસમો ઉભા હતા.




તે સમયે કાંટોલ ગામના દશરથભાઇ વસાવા સહિતનાં કેટલાક લોકો ત્યાં આવ્યા હતા અને વિકાસને કહ્યું હતું કે, ‘અહિંયા કેમ આવ્યા છો?’ તેમ કહીને આ લોકોએ વિકાસને લાકડીનો સપાટો અને મારમાર્યો હતો. જોકે ત્રણેક મહિના પહેલા આંબાખાડી ગામે ઝઘડો થયો હતો તેની રીષ રાખીને વિકાસને મારમાર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું.




જયારે ઇજાગ્રસ્ત વિકાસને સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઇ જવાયો હતો. ઘટના અંગે વિકાસભાઇ ગીરીશભાઇ વસાવા (રહે.ગામ ભીલવાડા) નાએ આશિષ વિક્રમ વસાવા, કૌશિક દિલિપ વસાવા, અશોક રામા વસાવા, અજય વલુસીંગ વસાવા, સંદિપ ચંદુ વસાવા, જયદીપ પ્રતાપ વસાવા, દશરથ ચૈતર વસાવા, રોહિત ચંદ્રસિંહ વસાવા, રામાભાઇ રાવજી વસાવા અને વિક્રમ રાવજી વસાવા (તમામ રહે.કાંટોલ ગામ, તા.ઝઘડીયા, જિ.ભરૂચના) નાઓ વિરુધ્ધ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application