હરિયાણાનાં ફરીદાબાદથી લગ્ન સમારોહમાં હાજરી આપવા જઈ રહેલા એક પરિવારને ઉત્તરાખંડના ચમોલીમાં અકસ્માત નડ્યો હતો. કાર અલકનંદા નદીમાં ખાબકી હતી, જેમાં પાંચ લોકોના મૃત્યુ નીપજ્યાં છે. જ્યારે એક મહિલા ઈજાગ્રસ્ત થઈ છે. કારની ગતિ ખૂબ જ વધારે હોવાથી આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત દેવપ્રયાગથી શ્રીનગર તરફ બદ્રીનાથ હાઇવે પર લગભગ 15 કિ.મી. દૂર બાગવાન નજીક થયો હતો.
મળતી માહિતી અનુસાર, કાર અલકનંદા નદીમાં ખાબકી હતી, કારમાં મુસાફરી કરી રહેલી એક મહિલાનો બચાવ થયો હતો. તેમને શ્રીનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ત્રણ બાળકો સહિત પાંચ અન્ય લોકો હજુ પણ ગુમ છે. એવી આશંકા છે કે, તેઓ નદીના પ્રવાહમાં તણાઈ ગયા હશે. કારમાં છ લોકો સવાર હતા, આમાંથી, અનિતા નેગી નામની મહિલાને બચાવી લેવામાં આવી છે, જ્યારે મહિલાનો પુત્ર આદિત્ય અને મહિલાની નાની બહેન મીના ગુસાઈ, તેનો પતિ સુનીલ ગુસાઈ અને બે બાળકો ગુમ છે. અકસ્માતની માહિતી મળતા જ દેવપ્રયાગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ મહિપાલ રાવત તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કાર્ય શરૂ કર્યું. હાલ ગુમ થયેલા લોકોને શોધવા માટે શોધખોળ કામગીરી ચાલુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application