Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Bardoli : ભારે વાહનોનાં અવરજવર વધતાં રોડ જર્જરિત બનતા માર્ગ વહેલી તકે રીપેર થાય એવી લોક માંગ

  • November 25, 2022 

બારડોલી સુગર ફેક્ટરીથી ખરવાસા તરફ જતાં રોડ પર આવેલ નહેરથી અસ્તાન તરફ જતો રોડ થોડા સમય પહેલા જ બનાવવામાં આવ્યો હતો પરંતુ આ માર્ગ પર હાલ અસ્તાન રેલ્વે ફાટક બંધ હોવાથી ભારે વાહનોની અવરજવર વધતાં રોડ અત્યંત જર્જરિત થયો છે, જેને લીધે વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે ત્યારે માર્ગ વહેલી તકે રીપેર થાય એવી લોક માંગ ઉઠી છે. બારડોલી ખરવાસા રોડથી નહેરનાં માર્ગે અસ્તાન તરફ જવાના રસ્તા પર ભારે વાહનોની અવરજવરના લીધે ખાડા એવા મોટા પડ્યા છે કે ફોર વ્હીલર વાહન નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. રોડનો વચ્ચેનો ભાગ ઊંચો થઈ જતાં કારની નીચે અથડાવાનો ભય ને લીધે વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.




જોકે બે વર્ષ જેટલા સમય અગાઉ જ નહેર પર ડામર સપાટીનો માર્ગ બનતા લોકોમાં ખુશી વ્યાપી હતી પરંતુ હાલ ફાટક બંધ હોવાથી ડાયવરઝન માર્ગનો ઉપયોગ કરાતા થોડા જ સમયમાં માર્ગ જર્જરિત બન્યો છે. અસ્તાન ફાટક પર ચાલી રહેલ ઓવર બ્રિજનું કામ પૂર્ણ થાય ત્યાં સુધીમાં જો આ નહેર પરનો માર્ગની મરામત ન થાય તો આ માર્ગ પર દ્વિ ચક્રી વાહન તેમજ કારની અવરજવર બંધ પણ થઈ શકે એવી સ્થિતિ હાલ જણાઈ રહી છે. જયારે તંત્ર કોઈ પગલા લેય અથવા નક્કર કાર્યવાહી કરી માર્ગની મરામત કરાવે એવી લોકમાં માંગ ઉઠવા પામી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application