Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત બહારથી આવતાં લોકોએ ફરજ્યાત સાત દિવસ હોમ કોરોન્ટાઈન રહેવું પડશે

  • March 17, 2021 

સુરતમાં સતત વધતાં જતા કોરોના સંક્રમણને પગલે સુરત મ્યુનિ.એ બહારથી આવતાં લોકોએ સાત દિવસ માટે ફરજ્યાત હોમ કોરોન્ટાઈન રહેવા માટેનું જાહેરનામું બહાર પાડી દીધું છે. સુરતમાં હજારો લોકો સુરત બહારથી લોકો નોકરી ધંધા માટે આવે છે આવા લોકો માટે પાલિકાના આ જાહેરનામાનું પાલન  કેવી રીતે કરવું તે એક પ્રશ્ન બની રહેશે. 

 

 

 

 

 

સુરતના ચૌટા બજાર સહિત અનેક વિસ્તારમાં રોજ સુરત બહારથી લોકો ધંધો કરવા આવે છે તેમની પાસે નિયમોનું પાલન કેવી રીતે કરાશે?

 

 

 

સુરત મ્યુનિ. તંત્રએ આજે એક જાહેરનામું બહાર પાડયું છે તેમાં સ્પષ્ટ કર્યું છે કે સુરત બહારથી આવતાં લોકોએ સાત દિવસ માટે ફરજ્યાત હોમ કોરોન્ટાઈન રહેવું પડશે. બહારથી જે લોકો આવે છે તે લોકોના ઘરમા અન્ય લોકોને સંક્રમણ ન થાય તે માટે અલગથી હોમ આઈસોલેશન રહેવું પડશે.

 

 

 

 

આ દરમિયાન જો કોઈ પ્રકારના લક્ષણ જોવા મળે તો તાત્કાલિક કોવિડ ટેસ્ટ કરાવવાનો રહેશે. આ નિયમનું પાલન ન કરનારા સામે એપેડેમિક એક્ટ હેઠળ પગલાં ભરવાની પણ ચીમકી આપી છે.

 

 

 

 

 

સુરત મ્યુનિ. કોવિડ સંક્રમણ અટકાવવા માટે જાત જાતના નિયમો જાહેર કરી રહી છે પરંતુ આ નિયમો માત્ર સામાન્ય માણસો માટે જ બનાવ્યા હોય તેવું વર્તન થાય છે. સુરતના ચૌટા બજાર, ટેક્ષટાઈલ માર્કેટ સહિત અનેક સંસ્થાઓમાં સુરત બહારથી હજારો લોકો રોજ રોજીરોટી માટે આવે છે. આ વિસ્તારમાં તંત્ર કેવી રીતે અમલ કરાવશેતે પણ વિચારવા જેવી બાબત છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application