Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા- માંડવી માર્ગ પર અજાણ્યા વાહન અડફેટે રાહદારીનું સારવાર દરમિયાન મોત

  • June 03, 2023 

મનિષા એસ.સુર્યવંશી / વ્યારા : વ્યારા- માંડવી માર્ગ પર આવતું ઉંચામાળા ગામ પાસે અજાણ્યા વાહન અડફેટે ચાંપાવાડી ગામના શખ્સનું ગંભીર ઈજાઓના કારણે સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનો બનાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.


મળતી માહિતી મુજબ વ્યારા તાલુકાના કાકરાપાર પોલીસ સ્ટેશનની હદમાં વ્યારા-માંડવી નેશનલ હાઇવે નંબર-૫૬ પર આવતું ઉંચામાળા ગામ પાસે તા.૦૨/૦૬/૨૦૨૩ નારોજ ગણપતભાઈ ઈશરાભાઈ ગામીત (ઉ.વ.૫૦) રહે,ચાંપાવાડી તા.વ્યારા નાઓના સાંજે રોડના કિનારે ચાલતા ચાલતા ઉંચામાળા ગામના પેટ્રોલ પંમ્પ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન કોઈ વાહન ચાલકે પોતાના ક્બ્જાનું વાહન પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઇ આવી ગણપતભાઈ ગામીતને અડફેટે લઇ નાશી છુટ્યો હતો.



આ અકસ્માતના બનાવમાં ગણપતભાઈ ગામીતને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સરવાર માટે ૧૦૮ની મદદથી વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન રાત્રે ગણપતભાઈ ગામીતનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે રણજીતભાઈ ફતેસિંગભાઈ ગામીત રહે.ઉંચામાળા ગામ મહુડી ફળિયું તા.વ્યારા નાઓએ અજાણ્યા વાહન ચાલક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા કાકરાપાર પોલીસ દ્વારા બનાવ નોંધી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News