Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બીલીમોરા રેલવે સ્ટેશને પીઆરએસ બંધ કરી દેવાતા ટિકિટ લેનારા અને રિઝર્વેશન લેનારા મુસાફરોને મુશ્કેલી ઊભી થઈ

  • March 06, 2025 

બીલીમોરા સ્ટેશને પીઆરએસ (રિઝર્વેશન ટિકિટબારી) બંધ કરી દેવાતા ટિકિટ લેનારા અને રિઝર્વેશન લેનારા મુસાફરોને મુશ્કેલી ઊભી થતાં ઘર્ષણ થતું હોય છે. જેથી આ બન્ને બારીઓ જુદી કરી આપવા રેલવેતંત્ર અને ચીએસી સભ્યને પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બીલીમોરા રેલવે સ્ટેશને વર્ષોથી રઝર્વેશન ટિકિટબારી અલગ કાર્યરત હતી અને તેનો મુસાફરો લાભ લેતા હતા. પરંતુ આજથી રેલવેતંત્ર દ્વારા ટિકિટ આપવામાં સમય જતો હોવાથી ટ્રેન પણ આવીને જતી રહેતી હોય છે.


જેથી મુસાફરોએ વિના ટિકિટે મુસાફરી કરવી પડતાં નાહકનો મોટો દંડ રેલવેતંત્રના જાણકારી વિનાના નિયમને કારણે ભરવો પડે છે. નોંધનીય છે કે, રેલવે સ્ટેશને કોઈ ટ્રેનનું સ્ટોપેજ મેળવવું હોય તો રેલવેતંત્ર દ્વારા સ્ટોપેજ અપાય છે, પરંતુ તેનો ત્રણથી છ મહિનાનો સમય આપવામાં આવે છે કેમ કે તે સમયગાળામાં મુસાફરોએ રેલવેતંત્રને જોઈતી ટિકિટ સ્ટેશનેથી લેવાય છે કે નહીં તે તંત્ર રિઝર્વેશન થતું રહે છે અને ટિકિટ લેનારા અને સિઝન ટિકિટ ધારકોને અને તે સાથે રિઝર્વેશન ટિકિટ લેનારાઓને પણ મુશ્કેલી પડે છે અને મુસાફરો વચ્ચે ઘર્ષણ ઊભું થતું રહે છે. ત્યારે આવે જંક્શન સ્ટેશન સાથે અનેક ગાડીઓ જોડાયેલી હોય ત્યારે મુસાફરોને આપેલી રિઝર્વેશન જેવી સુવિધા રેલવેતંત્ર દ્વારા છિનવાય નહીં તે માટે જૂના સભ્યો જે તે સ્થળે રજૂઆત કરીને મુસાફરોને અપાયેલી સુવિધા અકબંધ રાખે તે સમયની માંગ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application