Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પરષોત્તમ રૂપાલાએ બે વખત માફી માંગી છે માફ કરવું જોઈએ : રાજવી પરિવાર

  • April 01, 2024 

ગુજરાત ભાજપાના નેતાને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા દ્વારા કરાયેલી ટિપ્પણીના પડઘા ગુજરાત સાથે ગુજરાતના બોર્ડર વિસ્તારમાં પણ પડી રહ્યા છે. પરષોત્તમ રૂપાલા દ્વારા થયેલી ટિપ્પણી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જન્માવે છે. ત્યારે પરષોત્તમ રૂપાલા દ્વારા કરાયેલી ટિપ્પણી ને લઇ દાંતા સ્ટેટના રાજવી પરિવાર નું નિવેદન સામે આવ્યું છે. જ્યાં નેતાઓ એ વિકાસની વાતો કરવી જોઈએ ત્યાં આવી કોઈપણ જાતિ પર અભદ્ર થયેલી ટિપ્પણીને લઇ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સાથે જયારે પરષોત્તમ રૂપાલાએ માંગેલી બે વખતની માફી ને પણ ક્ષત્રિય સમાજે ધ્યાન ઉપર લેવા અનુરોધ કર્યો હતો. જોગ સંજોગે થયેલી ટિપ્પણી બાબતે સુખદ અંત આવે તેવી વાત દાંતા સ્ટેટના રાજવી પરિવાર દ્વારા વાત કરાઇ રહી છે. 


રાજવી પરિવારનું કહેવું છે કે, રજવાડાના સમયમાં મોગલોના રાજાઓ દ્વારા 17 વખત થયેલી ભૂલોને ક્ષત્રિય રાજા પૃથ્વીરાજ સિંહએ માફ કરી હતી, તો ક્ષત્રિય સમાજે પણ પરષોત્તમ રૂપાલા દ્વારા માંગેલી બે વખતની માફીને ધ્યાને લેવી જોઈએ અને આ બાબતનો સુખદ નિવેડો લાવવો જોઈએ.  જોકે ક્ષત્રિય સમાજે પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની જે માંગ કરી છે તેને અયોગ્ય એટલા માટે ગણાવી રહ્યા છે. નેતા બીજી જગ્યાએ ઉભા રહીને પણ ચૂંટણી લડી લેશે તે માત્ર એનો ઉપાય નથી પણ સાથે બેસીને નિરાકરણ લાવાની વાત કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application