Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડાપ્રધાનનો કેવડિયા ખાતેનો પ્રવાસ રદ : તમામ પ્રવાસન સ્થળ રાબેતા મુજબ ખુલ્લા રખાયા

  • October 19, 2021 

રાષ્ટ્રીય એકતા દિવસ એટલે તા.31 ઓક્ટોબરે રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય એકતા પરેડની સલામી ઝીલશે એવો કાર્યક્રમ નક્કી થયો હતો. પરંતુ વડાપ્રધાન નરેદ્ર મોદીને ઇટલી ખાતે G-20ની સમિટમાં જવાના હોય કેવડિયા તેઓ એકતા પરેડમાં આવી શકે તેમ નથી એટલે તેમની જગ્યાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ હાજર રહેશે. જયારે વડાપ્રધાન કેવડિયાના વિઝીટ માટે આવાના હતા જેને લઈને કેવડિયામાં 5 દિવસ તમામ પ્રવાસન સ્થળો બંધ રાખવાનું એસઓયુ સત્તામંડળે જાહેર કર્યું છે. પરંતુ હવે આ નિર્ણય રદ કરીને પ્રવાસન સ્થળો રાબેતા મુજબ ખુલ્લા રાખવા અને ઓનલાઇન ટિકિટના સ્લોટ ફરી ખોલી નાખવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application