Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચના ફાટાતળાવ વિસ્તારમાં ઉભરતી ગટરના પાણીથી લોકોમાં ભારે રોષ

  • December 29, 2021 

ભરૂચ નગરપાલિકાએ ફુરજા દત્ત મંદિરથી ફાટાતળાવ ભક્તેશ્વર મહાદેવના મંદિર સુધીનો રસ્તો અને આજુબાજુ ગટર લાઈન સહીતનું કામો મંજુર કરવામાં આવ્યું હતું. પરંતુ આ કામ કોઈ કારણોસર ખોરંભે પડતા હજીય આ વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જયારે શહેરના ફાટાતળાવ વિસ્તારમાંથી રોજ અનેક વાહન ચાલકો પસાર થાય છે પરંતુ ખુલ્લી કચરાથી ભરાયેલી ગટરોના પાણી રોડ પર ફેલાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને રાત્રીના સમયે ખાડા અને ખુલ્લી ગટરોના કારણે બાઈક સવાર ગટરોમાં ખાબકતા હોવાના બનાવો પણ બને છે.આમ, આ વિસ્તારના વેપારીઓ અને સ્થાનિકોએ અનેક વખત નગરપાલિકાના પદાધિકારી અને અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં પણ યોગ્ય કામગીરી નહીં કરવામાં આવતા સ્થાનિકોમાં આક્રોશ ફેલાઈ ગયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા 2 મહિનાથી ગટરોની સાફ સફાઈ નહીં કરવામાં આવતા ગટરોના છલકાતા પાણીમાં પાણી જાહેર માર્ગ પર ફેલાઈ જવાના કારણે વૃધ્ધો અને બાળકોને ભારે તકલીફો વેઠવી પડે છે જેથી પાલિકા દ્વારા બંધ પડેલી કામગીરીને તાત્કાલિક શરુ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application