Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અકસ્માત કેસમાં મૃત્તક યુવાનના વારસોને 44.11 લાખ વળતર ચુકવવા હુકમ

  • July 09, 2023 

વાહન અકસ્માત કેસમાં મૃત્તક યુવાનના વારસોની 46 લાખના અકસ્માત વળતરની માંગને મોટર એક્સીડેન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલના ઓક્ઝીલરી એડીશ્નલ સેશન્સ જજ પ્રણવ એસ.દવેએ અંશતઃ મંજુર કરી મૃત્તકના વારસોને વાર્ષિક 6 ટકાના વ્યાજ સહિત કુલ રૂ.44.11 લાખ વળતર ચુકવવા બાઇકચાલક,માલિક તથા વીમા કંપનીને હુકમ કર્યો છે.



સુરત શહેરના પુણાગામ સ્થિત કલ્યાણનગર સોસાયટીમાં રહેતા 36 વર્ષીય મીતલ લાલદાસભાઈ નિમાવત તા.22-10-17ના રોજ અલ્પેશકુમાર ચંદ્રકાંતભાઈ બાબરીયા(રે.રોયલ રેસીડેન્સી, મોટા વરાછા)ની માલિકીના મોટર સાયકલના ચાલક ભનુભાઈ મગનભાઈ બાલધા (રે.શ્રી રેસીડેન્સી,પુણાગામ)ની પાછળની સીટ પર બેસીને સાપુતારાથી વાંસદા જતા હતા.જે દરમિયાન ચાલક ભનુભાઈએ કાબુ ગુમાવતા મોટર સાયકલ ડીવાઈડર સાથે અથડાતા  અકસ્માત સર્જાયો હતો.જે અકસ્માતમાં પાછળની સીટ પર બેસેલા મીતલ નિમાવતનું  ગંભીર ઈજા થવાથી નિધન થયું હતુ.જેથી મૃત્તક યુવાનના વિધવા પત્ની મનીષાબેન સગીર સંતાનો તથા વૃધ્ધ સાસુ- સસરાએ મોટર સાયકલ ચાલક,માલિક તથા આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી કુલ રૂ.46 લાખના અકસ્માત વળતરની માંગ કરી હતી. અરજદારો તરફે આર.બી.સોનીએ જણાવ્યું હતું કે અકસ્માત સમયે મૃત્તક માત્ર 36 વર્ષની વય ધરાવતા હતા. મરનાર દીયોરા એન્ડ ભંડારી કોર્પોરેશન કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરી માસિક રૂ.22 હજારની આવક મેળવતા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News