Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : આમલીપાડા ગામમાં દીપડો પાંજરે પુરાયો

  • December 17, 2020 

સોનગઢ તાલુકા ના આમલીપાડા ગામની સીમમાં છેલ્લા પંદર-વીસ દિવસથી એક કદાવર દીપડો મરઘા નો શિકાર કર જતો હતો જેથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. રાત્રીના સમયે ખેતરમાં પાણી વાળવા જતા ખેડૂતોમાં પણ દીપડા ને લઈ ને ભય નો માહોલ હતો.

 

 

 

આ સંદર્ભે ગામના સરપંચ પ્રેમીલા બહેન ગામીતે રજૂઆત કરતા વન વિભાગ દ્વારા આમલીપાડા ગામના બસ સ્ટેન્ડ ફળિયામાં ખેડૂત જીતેન્દ્ર ગામીત ના ખેતર માં મરઘા ના મારણ સાથે પાંજરું મુકવામાં આવ્યું હતું. મોડી રાત્રીએ ખોરાકની શોધમાં આવેલ દીપડો પાંજરા માં મુકેલ મારણ ખાવાની લાલચે પાંજરે પુરાયો હતો.પાંજરે બંધ દીપડા ની ત્રાડ સાંભળી ગ્રામજનો ત્યાં દોડી આવ્યા હતા અને વનવિભાગ ને જાણ કરી હતી.વનવિભાગ નો સ્ટાફ દીપડા સાથે નું પાંજરું કિકાકુઈ ખાતે આવેલ રેસ્ક્યુ સેન્ટરમાં લઈ ગયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application