Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રૂપિયા 13.50 લાખના ચેક રીટર્ન કેસમાં સરથાણા ખાતે રહેતો આરોપીને એક વર્ષની કેદ

  • September 07, 2023 

સુરત શહેરના વરાછા ખાતે રાધાક્રિષ્ના સોસાયટીમાં રહેતા દિનેશ વલ્લભ જાદવાણીએ માર્ચ-2018માં મિત્રતાના સંબંધના નાતે આરોપી અરવિંદ હરજી રાદડીયા (તહે.મારૃતિધામ રો હાઉસ, સરથાણા)નાને 90 દિવસમાં પરત કરવાની બાંહેધરીના આધારે રૂપિયા 13.50 લાખ હાથ ઉછીના આપ્યા હતા. જેના પેમેન્ટ પેટે આરોપીએ લખી આપેલા ચેક દિનેશભાઈએ બેંકમાં વટાવવા નાખતાં સપ્ટેમ્બર-2018માં ચેક પરત ફરતા કોર્ટમાં ફરિયાદ નોંધાવાઇ હતી.

સુનાવણીમાં બચાવપક્ષે જણાવ્યું હતું કે, દિનેશભાઈએ આરોપીને નહીં પરંતુ આરોપીના પુત્ર પરેશભાઈને 15 લાખ હાથ ઉછીના આપ્યા હતા. જે પૈકી 5 લાખ પરત આપ્યા હતા બાકીના નાણાં માટે દિનેશભાઈએ તથા નિકુંજ કાનાણી ધમકી આપતાં આરોપીના પુત્રએ આત્મહત્યા કરી હતી. દિનેશભાઈએ આરોપીના પુત્ર પાસેથી આરોપીની સહીવાળા ચેક મેળવ્યા હતા. જોકે સમગ્ર હકીકત અંગે દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં બચાવપક્ષ નિષ્ફળ રહ્યો હતો. જેથી કોર્ટે આરોપીને એક વર્ષની કેદ, ફરિયાદીને ચેકની રકમ વાર્ષિક 9 ટકાના વ્યાજ સહિત 60 દિવસમાં ન ચુકવે તો વધુ બે માસની કેદની સજા ફટકારી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application