મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલનાં ચચરબુંદા ગામેથી પસાર થતાં સુરત ધુલિયા નેશનલ પર બાઈક ચાલકે પોતાના બાઈકનાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઈક ડિવાઈડર સાથે અથડાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં એકનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું, જયારે એકને ઈજા પહોંચી હતી.
બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રનાં ધુલિયાનાં તીખી મહારાજ મંદિર પાસે રહેતા સાજનભાઈ નામદેવભાઈ જાદવ (ઉ.વ.૩૦)નાંઓ ગત તારીખ ૨૫/૧૨/૨૦૨૪નાં રોજ પોતાના કબ્જાની બાઈક નંબર એમએચ/૪૧/એકે/૪૨૬૦ને પુરઝડપે અને ગફલતભરી રીતે ઉચ્છલ તાલુકાનાં ચચરબુંદા ગામેથી પસાર થતાં સુરત ધુલિયા નેશનલ પરથી હંકારી લાવી રહ્યા હતા.
તે સમયે ચચરબુંદા સુરત-ધુલિયા નેશનલ ઉપર રોડની સાઇડ ઉપર આવેલ ડિવાઈડર સાથે અથડાવી દઈ અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં મનિષભાઈ પીન્ટુભાઈ ચૌહાણ (રહે.તીખી ખંડેરાવ મહારાજ મંદિર પાસે, ધુલિયા મહારાષ્ટ્ર)નાંઓને ઈજા પહોંચી હતી જયારે બાઈક ચાલક સાજનભાઈને માથાનાં ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મનિષભાઈ ચૌહાણનાંએ તારીખ ૨૬/૧૨/૨૦૨૪ નાંરોજ ઉચ્છલ પોલીસ મથકે અકસ્માત અંગેનો ગુન્હો નોંધ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500