Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નારણપુરની નેશુ નદીમાં માછલી પકડવા જતા 38 વર્ષીય ઇસમનું ડૂબી જવાથી મોત

  • September 09, 2020 

ઉચ્છલના નારણપુર ગામની નેશુ નદીમાં માછલી પકડવા જતા 38 વર્ષીય પુરુષનું નદીના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાનો બનાવ ઉચ્છલ પોલીસ મથકે દાખલ થયો છે.

 

મળતી માહિતી મુજબ ઉચ્છલ તાલુકાના નારણપૂર ગામની સિમ માંથી પસાર થતી નેશુ નદીમાં માછલી પકડવા માટે જતા ભગવાનભાઈ રામચંદ્રભાઈ ગીરાશે (ઉ.વ.38) રહે, નવાપુર જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) નું નેશુ નદીના પાણી માં ડુબી જવાથી મોત નીપજ્યું હતું.

 

બનાવ અંગે મનોહરભાઈ રામચંદ્રભાઈ ગીરાશે ની ફરિયાદ ના આધારે આજરોજ ઉચ્છલ પોલીસ મથકે અકસ્માત મોત બનાવ રજિસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application