Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

'વિશ્વ યોગ દિવસ' અવસરે નવસારી જિલ્લાનાં ૭૧ જેટલા અમૃત સરોવર પર ઉજવણી કરવામાં આવી

  • June 23, 2023 

માહિતી વિભાગ દ્વારા નવસારી, ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી નિમિત્તે આજે વહેલી સવારથી યોગમય વાતાવરણ સર્જાયુ હતું. જિલ્લામાં વિવિધ જગ્યાઓએ સૌ કોઇ યોગ દિનની ઉજવણીમાં સહભાગી બન્યા હતા. જે અંતર્ગત નવસારી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા નવસારી જિલ્લાના ૭૧ જેટલા અમૃત સરોવર ખાતે વહેલી સવારે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ યોગ દિવસની ઉજવણીનાં  ભાગ રૂપે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સ્વચ્છ ભારત મિશન યોજના દ્વારા જિલ્લાનાં છ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નિર્માણ પામેલા ૭૧ અમૃત સરોવર પર આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની જનજાગૃતિ અર્થે તમામ સરોવર પર પ્રભાત ફેરી યોજી સાથે યોગ તાલીમમાં ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ જન જાગૃતિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શાળાના વિધાર્થીઓ, ગ્રામજનો, સરપંચ, સ્વચ્છતાગ્રાહી અને તાલુકાના કર્મચારી યોગમય બન્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application