Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૩માં જન્મ દિવસના ઉપલક્ષમાં ગુજરાત યોગ બોર્ડ દ્વારા વલસાડ ખાતે રેલી યોજાઇ

  • September 17, 2023 

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભારત વર્ષના પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના ૭૩ જન્મદિવસ તા.૧૭મી સપ્ટેમ્બરના ના ઉપલક્ષમાં સમગ્ર ગુજરાતમાં તા.૧૬ અને તા.૧૭મી સપ્ટેમ્બરના રોજ યોગ પ્રત્યે લોકને જાગૃત કરવા માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે વલસાડ જિલ્લામાં પણ જન જન સુધી યોગનો પ્રસાર થાય અને લોકો યોગ તરફ વળે અને લોકોનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તે હેતુથી વલસાડ કોલેજ કેમ્પસથી રેલી યોજાવામાં આવી હતી. જેમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ, પ્રિન્સિપલ, ભીડભંજન મહાદેવ મંદિરના કર્તાહર્તા શિવજી મહારાજ, યુવા મોરચાના પ્રમુખ, ડોક્ટર તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગકોચ, ટ્રેનર અને વિવિધ સંસ્થાઓ સાથે લોકો ઉમટી પડ્યા હતા. રેલીમાં ઉત્સાહભેર વિદ્યાર્થીઓ અને લોકો એક હજારથી વધુ સંખ્યામા દેશભક્તિના નારા સાથે જોડાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના દક્ષિણ ગુજરાત જોન કો-ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડે,અને એમની ટીમે બહુ મહેનત કરેલી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application