Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચૈત્રી નવરાત્રિનાં પ્રથમ દિવસે પારનેરા ડુંગર ઉપર આવેલ માતાજીનાં મંદિરે ભક્તોની જોવા મળી ભીડ

  • March 22, 2023 

ચૈત્રી નવરાત્રિનાં પ્રથમ દિવસે પારનેરા ડુંગર ખાતે આવેલા માતાજીનાં મંદિર સહિત તમામ મંદિરો ઉપર ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડે છે. ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં ભક્તો સમગ્ર ગુજરાતમાંથી પારનેરા ડુંગર ખાતે દર્શન કરવા આવી પહોંચતા હોય છે. કુદરતી સૌંદર્ય વચ્ચે માતાજીનાં દર્શન કરીને માતાજીના ભક્તોએ ધન્યતા અનુભવી હતી. વલસાડના પારનેરા ડુંગર ખાતે ચૈત્રી નવરાત્રીનાં પ્રથમ દિવસે માતાજીનાં ભક્તોની ભીડ જોવા મળી હતી. પારનેરા ડુંગર ખાતે માતાજીનાં ભક્તો દૂર દૂરથી માતાજીનાં દર્શન કરવા આવી પહોંચે છે.






વલસાડ જિલ્લા સહિત સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રથી પણ પારનેરા ડુંગર ખાતે માતાજીનાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં માતાજીના ભક્તો આવી પહોંચ્યા હતા. પારનેરા ડુંગર ઉપર ચામુંડા અંબિકા અને નવદુર્ગા તથા મહાકાળી માતાજીના દર્શન માટે દૂરદૂરથી ભક્તો આવી પહોંચ્યા હતા. વિશ્વમાં એક માત્ર એવી ત્રિમુખી પ્રતિમાના દર્શન માટે માતાજીના ભક્તોની ભીડ દર પૂનમ અને નવરાત્રીમાં રહેતી હોય છે. વલસાડના પારનેરા ડુંગર ખાતે કુદરતનાં સાનિધ્યમાં નવરાત્રીના પ્રથમ દિવસે ડુંગર ઉપર બિરાજનત માતાજીના દર્શન કરવા આવેલા ભક્તોની ભીડ જોવા મળી હતી આસ્થા અને ભક્તિનો સંગમ થતો જોવા મળી રહ્યો છે. મંદિર સંસ્થાપન ટ્રસ્ટ દ્વારા મંદિરે દર્શન કરવા આવતા ભક્તોને કોઈપર રિતની તકલીફ ન પડે તે રિતનું આયોજન કરવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application