Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

‘દેવપોઢી અગિયારસ’ના દિવસે નર્મદા નદીમાં દુગ્ધાભિષેક કરવા સાથે પૂજન અર્ચન બાદ માછીમારો નાવડીઓ લઈ હિલ્સા માછલી પકડવા રવાના

  • June 30, 2023 

દેશ તથા વિદેશમાં પ્રખ્યાત હિલ્સા માછલીની પ્રજનનની સીઝનની સાથે માછીમારીઓએ પણ માછીમારીની શરૂઆત કરી છે. ગત વર્ષે નર્મદા નદીમાં આવેલાં પુરના કારણે નદીના પાણીમાં ખારાશ ઓછી થતાં લાખોની સંખ્યામાં હિલ્સા માછલીઓ નર્મદા નદીના મુખ વિસ્તારમાં આવતાં કરોડો રૂપિયાની આવક માછીમારોને થઇ હતી. ચાલુ વર્ષે પણ સીઝન સારી રહે તેવી પ્રાર્થના સાથે નર્મદા મૈયાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. નર્મદા ડેમમાંથી પાણી છોડાતું નહિ હોવાથી નર્મદાના જળમાં ખારાશ વધી જતાં દરિયામાંથી પ્રજનન માટે આવતી હિલ્સા માછલીની આવક ઘટી હતી પણ ગત વર્ષે નર્મદા ડેમ અને કરજણ ડેમમાંથી વિપુલ માત્રામાં છોડાયેલાં પાણીથી હિલ્સા માછલીઓ લાખોની સંખ્યામાં આવી હતી અને માછીમારોને કરોડો રૂપિયાનો કારોબાર થયો હતો.




જયારે દેવપોઢી અગિયારસના દિવસે નર્મદા નદીમાં દુગ્ધાભિષેક કરવા સાથે પૂજન અર્ચન બાદ માછીમારો તેઓની નાવડીઓ લઇ 7 દિવસ નદીના મુખ પ્રદેશથી લઇ દરીયામાં 35 કિમિ સુધી અંદર ધામા નાખી હિલ્સા માછલી પકડવા રવાના થયાં હતાં. ભાડભૂતથી નિકોરા સુધી અંદાજે 5 હજારથી વધુ પરિવારો માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલાં છે. ત્યારે 4 મહિનાની માછીમારીની કમાણીથી તેઓ આખા વર્ષનો ખર્ચ કાઢતાં હોય છે. ભરૂચમાં પકડાતી હિલ્સા મચ્છીનો 80 ટકા માલ કલકત્તા જાય છે. ત્યારે 10 ટકા માલ મુંબઇ જ્યાંથી તે વેપારીઓ વિદેશમાં મોકલે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News