Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડોદરાનાં ખોડીયારનગર તળાવમાં ઓક્સિજન લેવલ ઘટી જતાં અસંખ્ય માછલીઓનાં મોત

  • May 09, 2022 

વડોદરાનાં ખોડીયારનગર તળાવમાં અસંખ્ય માછલીઓના મોત નીપજતા સામાજિક કાર્યકર્તાએ તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી જવાબદાર સામે પગલાં ભરવાની માંગ કરી છે. બનાવની વિગત એવી છે કે, વડોદરા શહેરમાં અગાઉ સુરસાગર તળાવ, કમલાનગર તળાવ, વારસિયા  તળાવ અને સમાં તળાવમાં અસંખ્ય માછલીઓના મોત નીપજ્યા છે.



તેવામાં હવે શહેરના પૂર્વ વિસ્તારમાં ખોડીયાર નગર ચાર રસ્તા નજીક આવેલ તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત નીપજતા આસપાસના વિસ્તારોમાં દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું હતું. તળાવમાં ફરી એક વખત અસંખ્ય માછલીઓના મોત નીપજતા સામાજિક કાર્યકર્તાએ તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી હતી. માછલીઓના મોત નીપજવા પાછળ ઓક્સિજનનું ઘટેલું સ્તર જવાબદાર હોવાનું તારણ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application