Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વર શહેરમાં જર્જરિત મકાન અને એપાર્ટમેન્ટને નોટિસ ફટકારવામાં આવી

  • June 13, 2024 

અંકલેશ્વર શહેરમાં જર્જરિત મકાન અને એપાર્ટમેન્ટનો નગરપાલિકા દ્વારા સર્વે કરી અગમચેતીના ભાગરૂપે નોટિસ ફટકારવામાં આવી રહી છે. નગરપાલિકા દ્વારા શહેરના 58 જર્જરિત ઈમારતોના માલિકોને કોઈ હોનારત ન સર્જાય તે માટે વહેલીતકે ઈમારત ઉતારી લેવા નોટિસ પાઠવાય છે અને જે તે મિલકત ધારકને જર્જરિત મકાન ઉતારવા માટે નગરપાલિકાની મદદની જરૂર પડે તે માટે પણ પાલિકા તંત્રએ તૈયારી દર્શાવી છે. અંકલેશ્વર નગરપાલિકાના મુખ્ય અધિકારી કેશવ કોલડીયાએ જણાવ્યુ હતું કે, ચોમાસાના આગમન પૂર્વે શહેર વિસ્તારમાં પ્રિ-મોન્સૂન કામગીરીની સાથે શહેરમાં જર્જરિત મિલકતોનો સર્વે કરીને નોટિસ પાઠવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application