Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જાણીતા સિંગર અને પૂર્વ તૃણમૂલ ધારાસભ્ય અનુપ ઘોષાલનું નિધન

  • December 16, 2023 

જાણીતા સિંગર અને પૂર્વ તૃણમૂલ ધારાસભ્ય અનુપ ઘોષાલનું નિધન થઈ ગયું છે. 78 વર્ષની ઉંમરમાં તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. સિંગરે કોલકાતામાં અંતિમ શ્વાસ લીધા. આમ તો અનુપ ઘોષાલે વધુ પડતા ગીત બંગાળી ભાષામાં ગાયા છે પરંતુ કેટલાક ગીત તેમણે હિન્દી ફિલ્મોમાં પણ ગાયા છે. તેમને આજે પણ 'માસૂમ' ફિલ્મના ગીત 'તુજસે નારાજ નહીં જિંદગી' માટે લોકો યાદ કરતા હતા. અનુપ ઘોષાલના મોતનું કારણ વધતી ઉંમર જણાવાય રહ્યું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા. પરંતુ તારીખ 15 ડિસેમ્બરે હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા.



સિંગરના નિધનના સમાચાર સાંભળીને રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દુઃખ વ્યક્ત કર્યું. મુખ્યમંત્રીએ લખ્યું કે, અનુપ ઘોષાલના જવાથી મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીને આઘાત લાગ્યો છે. મારી તેમના પરિવાર સાથે સંવેદના છે. સંગીત દુનિયાની સાથે અનુપ ઘોષાલ રાજનીતિમાં પણ સક્રિય હતા. તેમને વર્ષ 2011માં તૃણમૂલ કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવાર બનાવ્યા હતા અને તેઓ પણ મમતા બેનર્જીની આશા પર ખરા ઉતર્યા હતા. તેમને ચૂંટણીમાં જીત મળી હતી. સંગીતની દુનિયાની વાત કરીએ તો, અનુપ ઘોષાલે અનેક બંગાળી ગીત ગાયા છે. જેમાં 'તુજસે નારાજ નહીં જિંદગી', 'જિનકે હૃદય શ્રીરામ બસે', 'મન કે મંદિર મેં', 'ગુરુ બિન', 'અંખિયા હરિદર્શન કો પ્યારી', 'મોહે લાગી લગન'થી લઈને 'મધુર અમર' સહિતના ગીત ગાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application