Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી: મહિલાનું દસમા માળેથી નીચે પડતા મોત

  • April 23, 2023 

આજકાલ આત્મહત્યા કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે. કોઈને કોઈ કારણોસર લોકો આત્મહત્યાઓ કરી રહ્યા છે. ત્યારે આવો જ એક વધુ કિસ્સો નવસારીથી સામે આવ્યો છે. અહીં એક આધેડ ઉંમરની મહિલાએ ધાબેથી પડતું મૂક્યું હતું અને મૃત્યુ પામ્યા હતા. તેમના મૃત્યુ પાછળ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે લાંબી બીમારીથી કંટાળીને તેમણે ધાબેથી પડતું મૂક્યું હતું.


નવસારીના માણેકલાલ રોડ પર આવેલા સેન્ચુરી ટાવરના ધાબા પરથી એક આધેડ ઉંમરની મહિલાએ પડતું મૂક્યું. તેમણે મોડી સાંજે પોતાના પતિને ધાબા પર લઇ જવાનું કહ્યું હતું,જ્યાથી તેમણે નીચે પડતું મૂક્યું. મૃતક મહિલા 64 વર્ષીય ભારતીબેન શાહ સેન્ચુરી ટાવરમાં ત્રીજા માળે રહેતા હતા,તેઓ લાંબા સમયથી પેરેલિસિસથી પીડાતા હતા. તેઓ આના લીધે કંટાળી ચુક્યા હતા અને તેમણે પોતાના પતિ નીતિનભાઈને તેમને ધાબા પર લઇ જવા માટે કહ્યું. જેથી તેમના પતિ તેમને ધાબા પર લઇ ગયા હતા, જ્યાંથી તેઓ અચાનક જ નીચે પટકાયા હતા.તેમનો નીચે પટકાવાનો અવાજ સાંભળીને લોકો આસપાસમાંથી દોડી આવ્યા હતા. તાત્કાલિક 108 બોલાવીને તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ મામલે પોલીસને જાણ થતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો. આ પછી અકસ્માતે મૃત્યુની નોંધ કરી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application