Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી: પોલીસે કતલખાને લઈ જવાતા અબોલા પશુઓને બચાવ્યા

  • June 25, 2023 

આજકાલ અબોલા પશુઓને કતલખાને લઈ જવાની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે અને ઘણીવાર પોલીસે સારી કામગીરી કરીને આ પશુઓને બચાવી રહી છે. ત્યારે હવે નવસારી ગ્રામ્ય પોલીસે નેશનલ હાઇવે પરથી મહારાષ્ટ્ર કતલખાને લઈ જવાતા ઘેંટા-બકરાને બચાવી લીધા છે.


મળતી માહિતી અનુસાર, ગૌ-રક્ષકોની બાતમીને આધારે નવસારી ગ્રામ્ય પોલીસે નેશનલ હાઇવે 48 પરથી મહારાષ્ટ્રના કતલખાને લઈ જવાતા 107 ઘેટા બકરા બચાવી લીધા. આ તમામ અબોલા પશુઓને બચાવીને વાપી પાંજરાપોળ ખાતે મોકલી દેવામાં આવ્યા. પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી લીધી અને સાથે જ 15 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો હતો. સાથે જ પોલીસે પશુ-ક્રૂરતા નિવારણ એક્ટ હેઠળ ગુનો નોંધી ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાનૂની કાર્યવાહી હાથ ધરી.અગાઉ પણ લગભગ 10 દિવસ પહેલા પોલીસે વોચ ગોઠવીને 291 ઘેટા બકરા ભરેલી ટ્રક પકડી હતી. ત્યારે ટ્રકમાં સવાર પાંચ લોકો સામે કાનૂની કાર્યવાહી શરુ કરી હતી. આ ઘેટાં બકરાંને બચાવીને વાપીની પાંજરાપોળ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ પછી 21 જૂનના રોજ પણ 107 જેટલા બકરાને ભરીને લઈ જતી એક ટ્રક ઝડપાઈ હતી. એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિઓએ બોરીયાજ ટોલનાકેથી ટ્રકને રોકીને બકરા ભરેલી ટ્રકમાંથી બે આરોપીઓને પકડી પાડ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application