Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી પોલીસે અજાણ્યા મૃતકની અંતિમવિધિ કરી માનવતાની ફરજ નિભાવી

  • July 08, 2023 

નવસારી જિલ્લામાં પોલીસ કાયદાનું કડક પાલન કરાવવા સાથે સમાજમાં જે કોઈના સ્વજન નહીં હોય તેવા અજાણ્યા મૃતક લોકોની અંતિમવિધિ કરીને માનવતાની ફરજ ખાખી ધરાવતા પોલીસ કર્મીઓ કરી સમાજનું ઋણ પણ અદા કરતા હોય છે. જોકે હાલમાં જ નવસારી ટાઉન પોલીસમાં બાબુભાઈ નામનો 52 વર્ષીય ઇસમ નવસારીની લક્ષ્મી સિનેમા પાસે બેભાન હાલતમાં મળ્યા તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરતાં 11 દિવસની સારવાર બાદ મોત થયું હતું.



જોકે આ બાબુભાઈ નામના પ્રૌઢના વાલીવારસની શોધખોળ કરવા છતાં કોઈ સ્વજન મળી આવ્યું ન હતું. જેથી પોલીસ કર્મીઓએ મૃતકના સ્વજન બની વિરાવળ સ્મશાન ભૂમિમાં અંતિમવિધિ કરી હતી. અજાણ્યા મૃતકોની વાલી વારસથી માંડી તેમના અંતિમ સંસ્કારની જવાબદારી જે તે તપાસ કરનાર પોલીસ અધિકારીઓની હોય છે. વધુમાં જણાવી દઈએ કે, નવસારી સ્મશાનમાં આ અઠવાડિયામાં દસ જેટલા અજાણ્યા મૃત લોકોની અંતિમવિધિ પોલીસ અને રેલવે પોલીસ કરતી હોય છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application