Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સારવાર માટે આવેલ દર્દીએ હોસ્પિટલમાં ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

  • September 07, 2021 

નવસારીના એક હોસ્પિટલમાં સારવાર માટે આવેલ દર્દીએ પંખા સાથે ચાદર બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નવસારીમાં છાપરા રોડ પર આવેલા ખોડિયારનગરમાં રહેતા મેહુલ અરવિંદ કુરકુટિયાએ ટાઉન પોલીસ મથકે જાણ કરી કે તેમના પિતા અરવિંદભાઈ કુરકુટિયા (ઉ.વ. 56) ને બિમારી હોય તેઓને સારવાર માટે ગોહિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ઘણા લાંબા સમયથી તેઓ બિમારીથી પીડિત હોય આખરે કંટાળી ગયા હતા જેથી તેઓ મોડી રાત્રિના 12:30થી 1:30ના સમય વચ્ચે હોસ્પિટલમાં એકલા હતા. તે દરમિયાન કોઈ અગમ્ય કારણસર અરવિંદભાઈ કુરકુટિયા સ્પેશ્યલ રૂમ નંબર-101માં સિલિંગ પંખા સાથે ચાદર વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવ અંગે ટાઉન પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application