Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બીમારીથી કંટાળી વૃદ્ધાએ આપઘાત કર્યો

  • February 01, 2021 

ચીખલી નજીક થાલા ગામમાં બીમારીથી કંટાળી વૃદ્ધાએ પોતાના ઘરમાં દુપટ્ટા વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટના અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ચીખલી તાલુકાના થાલા ગૌચરણ ફળીયામાં રહેતી 59 વર્ષીય મંજુલાબેન મોહનભાઈ હળપતિ છેલ્લા કેટલાક સમયથી હાર્ટની બીમારીથી પીડાતા હતા અને તેમનો એક પુત્ર અસ્થિર મગજનો હોવાથી મંજુલાબેન સતત માનસિક તાણમાં અને હતાશ રહેતા હતા તેથી મોડી સાંજે મંજુલાબેને પોતાના મકાનમાં દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ થતા સ્થળ પર પહોંચી પી.એમ. કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application