Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી : પ્રેમિકાના લગ્ન થઈ જતા પ્રેમીએ કર્યો આપઘાત

  • January 19, 2021 

વિજલપોર વિસ્તારમાં રહેતા પ્રેમીએ પ્રેમિકાના અન્ય યુવક સાથે લગ્ન થઈ જતા અને પ્રેમમાં અસફળતા મળતા ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

 

 

 

વિજલપોર પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર વિજલપોર વિસ્તારમાં રામનગર ખાતે રહેતો 22 વર્ષીય યુવક મનીષ મધુકર બાવીષ્કરને એક યુવતી સાથે પ્રેમ-સંબંધ હતો. પરંતુ પ્રેમિકાના અન્ય યુવક સાથે લગ્ન થઈ જતા મનીષને ખુબ આઘાત લાગ્યો હતો અને ત્યારથી મનીષ માનસિક તાણમાં પણ રહેવા લાગ્યો હતો અને આઘાતમાં સરી પડેલ મનીષે અંતે પોતાના ઘરમાં લાકડા સાથે કાપડનો ટુકડો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. ત્યારબાદ પરિવારજનો મનીષને ગળે  ફાંસો ખાધેલી હાલતમાં જોઈ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરતા તુરંત પોલીસ ઘટના સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application