Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોરોના કાળમાં બંધ કરાયેલ ઉભરાટ બીચને તંત્રેએ ખુલ્લો રાખવા મંજુરી આપી

  • October 16, 2021 

નવસારી જિલ્લામાં પ્રવાસીઓ માટે જે સ્થળો છે તેમાં 2 બીચ પણ છે. એક દાંડી અને બીજો ઉભરાટ છે. આ બંને બીચ ઉપર દક્ષિણ ગુજરાતના લોકોનો રજાના દિવસોએ ભારે ધસારો રહે છે. જોકે, કોરોનાએ આ બંને બીચો પરના ટુરિઝમ ઉપર પણ વિપરીત અસર કરી છે. માર્ચ 2020થી મહત્તમ સમય આ બીચો બંધ જ રહ્યા છે. પહેલી લહેર શાંત થયા બાદ થોડો સમય બીચ ખુલ્યા હતા, જે બાદમાં બંધ થયા હતા. બીજી લહેર શાંત થતા જાહેર રજાના દિવસો સિવાય ખોલવાની મંજૂરી કેટલાક સમયથી અપાઈ હતી. રજાના દિવસોએ જ વધુ પ્રવાસી આવતા હોય કોઈ ફાયદો પર્યટકો અને ધંધાર્થીઓને થયો ન હતો. જેથી રજાના દિવસોએ પણ બીચ ખોલવાની માંગ થઈ રહી હતી. આ અંગે ધારાસભ્ય, ઉભરાટના સરપંચ વગેરેએ તંત્રના ધ્યાન ઉપર વાત લાવી હતી. અંતે તંત્ર એ નવો હુકમ કર્યો હતો અને આ હુકમમાં ઉભરાટ બીચ કોવિડ ગાઈડ લાઈનની શરતને ધ્યાને લઇ અઠવાડિયાના તમામ દિવસ સવારે 9 થી સાંજે 6 સુધી ખુલ્લો રાખવા મંજૂરી આપી છે. જેથી આગામી તા.17મીને રવિવારથી બીચ ખુલશે અને સહેલાણીઓ બીચ ઉપર આવી આનંદ માણી શકશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application