Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખેરગામમાં એક કાચા મકાનનો ભાગ પતરા અને દિવાલ સાથે તૂટી પડ્યો, સદનસીબે પરિવાર બચ્યો

  • October 17, 2021 

નવસારીના ખેરગામના વેણ ફળીયામાં બે ગાળાના કાચા મકાનના એક ભાગના પતરાં અને દીવાલ સાથે તૂટી પડતા પરિવારમાં દોડધામ મચી ગઇ હતી. જોકે, સદનસીબે ઘટનામાં કોઈને ઇજા કે જાનહાની થઈ ન હતી ત્યારબાદ પંચાયતે કરેલા નુક્સાનીના સર્વેમાં 20 હજારથી વધુનું નુકસાન થયું હોવાનો અંદાજો છે. બનાવની વિગત એવી છે કે, ખેરગામના વેણ ફળીયામાં કાંતિલાલ પત્યાભાઈ પટેલ જે બે ગાળાના કાચા મકાનમાં પરિવાર સાથે રહે છે જયારે ગતરોજ સાંજે 4 વાગ્યાના અરસામાં પરિવાર આંગણે બેઠા હતા. તે સમયે મકાનની એકબાજુનો ભાગ પતરાં અને દીવાલ સાથે તૂટી પડતા ભારે દોડધામ મચી ગઇ હતી. જોકે સદનસીબે આ ઘટના સમયે ઘરમાં કોઈ જ ન હતું જેથી કોઈ પણ પ્રકારની જાનહાની થઈ ન હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ પંચાયતમાં થતા સરપંચ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં તેમણે થયેલ નુક્સાનીનો સર્વે કર્યો હતો અને જેમાં 16 પતરાં, દીવાલ, ડંડા સહિત આશરે 20 હજાર રૂપિયાનું નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application