Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીખલી તાલુકાના ગામેગામ સંજીવની રથ દ્વારા એક હજારથી વધુ દર્દીઓને સારવાર અપાઈ

  • October 09, 2021 

ચીખલી તાલુકાના ગામેગામ શારદા ફાઉન્ડેશનના સુવર્ણા સંજીવની રથને વ્યાપક આવકાર સાથે ટૂંકા સમયમાં એક હજારથી વધુ દર્દીઓનું નિદાન સારવાર કરાઇ છે. ચીખલીની સેવાભાવી સંસ્થા શારદા ફાઉન્ડેશન દ્વારા સ્પંદન હોસ્પિટલના અને દાતાઓના સહયોગથી હરતું-ફરતું દવાખાનું સુવર્ણા સંજીવની રથનું પ્રસ્થાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે શારદા ફાઉન્ડેશનના સ્થાપક દર્શનભાઇ દેસાઈ સહિતનાની ઉપસ્થિતિમાં કરાયું હતું. ત્યારબાદ આ રથ ડોકટર તેમજ નર્સ સહિતના સ્ટાફ સાથે જઈ ગામેગામ દર્દીઓને વિનામૂલ્યે તપાસી સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application