Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી : બસ અડફેટે આવતાં પિતા-પુત્રનું મોત, પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

  • June 25, 2023 

નવસારી તાલુકાનાં રજવાડા ગામે રહેતા માજી સરપંચ અને તેમનો 4 વર્ષીય પુત્ર બાઇક પર નેશનલ હાઈવે નંબર-48 પર સામર ફળિયા પાસે હોટેલ નજીક કટ પાસેથી ઊભા રહી રસ્તો પસાર કરતા હતા. તે સમયે લકઝરી બસે અડફેટે લેતા બાઈક ચાલક માજી સરપંચનું ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે પુત્રનું સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું.



ઘટના બાદ લકઝરી ચાલક ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ, નવસારી તાલુકાનાં રજવાડા ગામે રહેતા દિપકભાઈ અમરતભાઈ આહિરે ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું કે, તેમના મોટા ભાઈ પ્રકાશભાઇ આહિર (ઉ.વ.45) તેમના પુત્ર કૃષિવ (ઉ.વ.4) શુક્રવારનાં રોજ બાઈક નંબર GJ/21/L/489 પર રસ્તો ક્રોસ કરવા સામર ફળિયા હાઇવે નંબર-48 પર આવેલા કટ પાસે ઊભા હતા.



તે દરમિયાન રસ્તો ક્રોસ કરતી સમયે લકઝરી બસ નંબર GJ/26/T/6565નાં અજાણ્યા ચાલકે તેમની બાઇકને બાઈકને ટક્કર મારી હતી. જેથી પ્રકાશભાઈ આહિરને માથાનાં ભાગે ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે કૃષિવને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. અકસ્માત અંગે લકઝરી બસનાં ચાલક વિરૂદ્ધ ફરિયાદ આપતા પી.એસ.આઈ.એ આગળની વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application