વન વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના પીપલગભણ ગામે ખરેરા નદી કિનારે એક દીપડી મૃત હાલતમાં મળી આવતા આ અંગેની જાણ પીપલગભણ ગામના સરપંચ નિકુંજભાઈ પટેલ દ્વારા ચીખલી વન વિભાગને કરતા આરએફઓ સહિત સ્ટાફે સ્થળ ઉપર ઉપર આવી પહોચી એક-બે વર્ષીય દીપડી મળી આવતા વન વિભાગે દીપડીનો કબ્જો લઈ વેટરનરી ડોકટર પાસે પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે. જોકે દીપડીના મોત અંગેનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે. તાલુકામાં ચાર દિવસમાં બે જેટલી દીપડીના મોત નિપજ્યા છે. ત્યારે વધુ વરસાદને પગલે ન્યુમોનિયાથી દીપડીના મોત થયા હોવાનું અનુમાન વન વિભાગ કરી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application