ચીખલી તાલુકાનાં દેગામ ગામે ક્રસર પ્લાન્ટ ચાલુ કરવા જતાં વીજ કરંટ લાગવાથી પરપ્રાંતિય યુવાનનું મોત નીપજ્યું હતું.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, દેગામ ગામના શિવાય એગ્રીગેટમાં બપોરના સમયે ઘનશ્યામ રામદુલાર નિસાદ (ઉ.વ.૩૦) (રહે.શિવાય એગ્રીગેટ દેગામ ગામ, તા.ચીખલી) જે જમી પરવારીને ક્રસર પ્લાન્ટ ચાલુ કરવા ગયા હતા. ત્યારબાદ થોડા સમય બાદ સાથી કામદારો જતા પ્લાન્ટ ચાલુ કરવાના ઇલેક્ટ્રિક બોર્ડ પાસે જમીન ઉપર બેભાન હાલતમાં મળી આવતા અને તેને ઇલેક્ટ્રિક સ્વીચથી કરંટ લાગવાથી હાથનો થોડો ભાગ કાળો પડી જતા આલીપોર સારવાર માટે લઈ જવાતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application