Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારીમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ રાજયમંત્રી ઇશ્વરસિંહ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો

  • March 12, 2021 

સમગ્ર દેશમાં યોજાઇ રહેલા ઇન્ડિયા@૭૫ આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમને અનુલક્ષીને નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના દાંડી ખાતે સહકાર, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવતિઓ, વાહનવ્યવહાર રાજયમંત્રી ઇશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. મંત્રી ઇશ્વસિંહ પટેલે પ્રાર્થનામંદિર ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી તેમજ પુષ્પાંજલિ અર્પી હતી.

 

 

 

આ પ્રસંગે ઉપસ્થિત દેશપ્રેમી નાગરિકોને રાજયમંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, દેશની ભાવિ પેઢીને ભારતના ભવ્ય ઐતિહાસિક વારસાથી અવગત કરાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમો અમલી કરાવ્યા છે ગાંધીજીના હસ્તે મળેલી અમૂલ્ય આઝાદી દ્વારા આત્મનિર્ભરતા-સ્વરોજગારી-સ્વદેશીનો વ્યાપ વિસ્તારવા આહ્વાન કર્યું હતું.

 

 

 

મંત્રી પટેલે પૂ.બાપુની દાંડીયાત્રાના ઐતિહાસિક મહત્વને ઉજાગર કરી દેશના સ્વાધિનતા સંગ્રામમાં દાંડીયાત્રા દિવાદાંડી સમાન સાબિત થઇ હોવાનું જણાવ્યું હતું. તેમણે પૂ.મહાત્મા ગાંધીની દાંડીયાત્રાએ સમગ્ર દેશમાં આઝાદીની એક અનોખી આહલેક જગાડી હોવાનું જણાવી આઝાદીના ૭૫ વર્ષ બાદ ફરી એક વખત શરૂ કરવામાં આવેલી આ દાંડીયાત્રા સાચા અર્થમાં પૂ.મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ સમાન છે.

 

 

 

કાર્યક્રમ દરમિયાન, વૈષ્ણવ જન તો તેને કહીએ, સાબરમતિ કે સંત તુને કર દિયા કમાલ જેવા ગાંધીજીવાદી ભજનો કલાવૃંદો દ્વારા રજુ કરવામાં આવ્યા હતા તથા ભારત ભાગ્ય વિધાતા કૃતિ ડિવાઇન સ્કુલ દ્વારા રજુ કરવામાં આવી હતી. જાણીતા વક્તા જવલંત નાયકે વર્તમાન પરિપ્રેક્ષ્યમાં ગાંધીજીના મુલ્યોની વિભાવના સાકાર કરી હતી. તેમજ સાબરમતિ આશ્રમ અમદાવાદ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં આયોજીત અમૃત મહોત્સવ ઉજવણી શુભારંભ કાર્યક્રમ અને દાંડીયાત્રા પ્રસ્થાન કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application