Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખેરગામમાં ફરજ બજાવતો એ.એસ.આઈ. રૂપિયા 5 હજારની લાંચ લેતા ઝડપાયો

  • February 28, 2021 

નવસારી જીલ્લાનાં ખેરગામ તાલુકામાં ગોળનું વેચાણ કરતા દુકાનદાર પાસેથી ખરીદી કરનાર ગ્રાહકો ગોળનો ઉપયોગ દેશી-દારૂ બનાવવામાં ઉપયોગ કરતા હતા. જેથી ખેરગામ પોલીસ મથકમાં ફરજ બજાવતાં એ.એસ.આઈ. દિવાભાઈ ધાકલુભાઈ દાહવાડે દુકાનદારને લોકો તેની પાસેથી ગોળ લઈ જાય છે અને દેશી-દારૂ બનાવે છે અને હવે પછી ગોળનો જથ્થો લઈ જનાર લોકો જો તેની દુકાનમાંથી ગોળની ખરીદી કરી દેશી-દારૂ બનાવતા પકડાઈ જશે તો દુકાનદારનું નામ આરોપી તરીકે દર્શાવી દેશે તેવું જણાવી ગોળનો વેપાર કરવો હોય તો રૂપિયા 5000/-નો હપ્તો આપવો પડશે, તેમ એ.એસ.આઈ. દિવાભાઈ એ  કહ્યું હતું અને લંચની માંગણી કરી હતી.

 

 

 

પરંતુ દુકાનદાર લાંચ આપવા તૈયાર ન હતા જેથી દુકાનદારે આ બાબતે વલસાડ અને ડાંગ એ.સી.બી. મથકમાં ફરિયાદ આપી હતી. જે ફરિયાદના આધારે સુરત એ.સી.બી.ના મદદનીશ નિયામક એન.પી.ગોહિલના માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ વલસાડ એ.સી.બી., પી.આઈ.  કે.આર.સક્સેના ના સુચાનાથી એ.સી.બી.ની ટીમે પાટીગામનાં બાવાસી ફળિયા પાસેના જાહેર રસ્તા ઉપર કાવતરું  ગોઠવી એ.એસ.આઈ. દિવાભાઈ દાહવાડ લાંચની રકમ લેવા આવતા એ.એસ.આઈ. દિવાભાઈને રંગે હાથ ઝડપી પાડ્યો. આ બનાવ અંગે એ.સી.બી.એ એ.એસ.આઈ. સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.     


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application