Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી : તળાવમાં ન્હાવા પડેલ માછીમારનું ડૂબી જવાથી મોત નીપજ્યું

  • April 28, 2024 

નવસારી જિલ્લાનાં શાહુ ગામમાં તળાવમાં ન્હાવા પડતા માછીમારનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉગત ગામના સડક ફળિયામાં રહેતા મહેશભાઈ બાબુભાઈ હળપતિ નાંઓ ગુરુવારનાં રોજ સાંજના સમયે ગામની બાજુમાં આવેલ શાહુ ગામના તળાવમાં ન્હાવા જતા ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટનાને જોતા જ આસપાસના લોકોએ બૂમાબૂમ કરી શોધખોળ કરતા તેમનો પત્તો નહીં મળતા નવસારી ફાયર બ્રિગેડની જાણ કરી હતી. બીજા દિવસે એટલે કે શુક્રવારનાં રોજ લશ્કરોએ શોધખોડ કરતા મહેશભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો જોકે તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ પામનાર મહેશભાઈ દરિયાઈ બોટમાં માછીમારી કરતા હતા અને એક દિવસ પહેલા જ ઘરે આવ્યા હતા. ઘટના અંગે રૂરલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application