Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત-મુંબઈ રોડ પર એક કારમાં લાગી આગ, સદનસીબે જાનહાનિ ટળી

  • November 04, 2021 

નવસારીનાં ગણદેવીના ખારેલ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર-8 પર એક સીએનજી કારમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોકે સદનસીબે આગ લાગ્યા સમયે કારમાં કોઈ વ્યકિત સવાર ના હોવાથી જાનહાનિ થતા અટકી હતી. ગણદેવીના ખારેલ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે પર કારમાં એકાએક આગ લાગતા કારમાં સવાર લોકો તાત્કાલિક બહાર આવતાં તેમનો આબાદ બચાવ થયો હતો. સુરતથી મુંબઇ રોડ પર જઈ રહેલી વરના કારમાં એકાએક બોનેટ પાસેથી શરૂ થયેલી આગ પાછળ વધી હતી. જેથી તેમાં સવાર મુસાફરો તરત બહાર આવ્યા હતા. જ્યારે આજુબાજુમાં પસાર થયેલી કાર ચાલકોમાં પણ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application